'ભૂખ્યા' માનવ-વરુઓ...!!
એક વરુ ગંગાનાં કાંઠે ખડકો માં આવેલી ભેખડોમાં રહેતું હતું.
ગંગાનદીમાં અચાનક અતિશય પૂર આવતા ખુબ જ પાણી ભરાયું.
વરુથી બહાર નીકળાય એમ હતું નહીં.
ભૂખ્યા રહેવું પડે એમ હતું.
એટલે તે પોતાનાં ઘરમાં ગયું,
કેલેન્ડર જોયું,
તો આજે એકાદશી હતી...!!
વરુએ તરત જ એકાદશીનો ઉપવાસ જાહેર કર્યો અને પછી શાંતિથી પાણી ઉતારે એની રાહ જોવા લાગ્યું.
થોડીવારે પોતાનાં નિવાસનાં બારણાં પાસેથી વહેતા પાણીમાં ચીસકારા પાડતું બકરીનું બચ્ચું પસાર થયું.
વરુ ઉભું થઇ ગયું,
મોઢામાં પાણી આવી ગયું...
બંને પંજા અને મોઢું લાંબુ કરી બકરીનાં બચ્ચાને ભેખડમાં ખેચી લેવા માટે મરણીયો પ્રયાસ કર્યો.
આ બાજુ તણાતાં બકરીનાં બચ્ચા એ મોતને સમય પહેલા ત્રાટકેલું જોઈ પૂરી તાકાત સાથે દૂર જવાનો પ્રયત્ન કર્યો અને એ સફળ થયું.
વરુએ હાથમાં આવેલો શિકાર ગુમાવ્યો.
ફરી એકાદશીનું વ્રત યાદ કરીને શાંત થઇ બેસી ગયું...!!
મિત્રો,
સમાજમાં મારી, તમારી અને આપણી સૌની સ્થિતિ આ ભૂખ્યા વરુ જેવી જ છે,
જ્યાં સુધી તક નથી મળતી ત્યાં સુધી જ નિયમ, સિદ્ધાંત, નિષ્ઠા અને કાયદા રૂપી એકાદાશીઓનું પાલન કરતા હોઈએ છીએ.
એક વાર તક મળી એટલે.......
વધારે કઈ નથી કહેવું,
આપ તો સમજુ છો....!!
અંતરદ્રષ્ટિ કરીને જોઈ લેવામાં વધારે મજા છે.
આપનો દિવસ શુભ રહે.
મંગળ પ્રભાત. _/\_
(લાગતાવળગતા એ ખાસ 'ટોપી' પહેરવી,
કારણ કે આ તમારા માટે જ અહિયાં મુક્યું છે...!!)
Thanks Hardik.
જવાબ આપોકાઢી નાખો